લોકસભામાં આજે કરાધાનવિધિ સુધારા વિધેયક -2019 બિલ બહાલી માટે રજૂ
Live TV
-
લોકસભામાં આજે કરાધાનવિધિ સુધારા વિધેયક -2019 વિચાર કરવા અને બહાલી આપવા ડેસ્ક ઉપર રાખવામાં આવશે. નાણામંત્રી સીતારમણ 25 નવેમ્બરે આ વિધેયકને લોકસભામાં રજૂ કરી ચૂક્યા છે.
લોકસભામાં આજે કરાધાનવિધિ સુધારા વિધેયક -2019 વિચાર કરવા અને બહાલી આપવા ડેસ્ક ઉપર રાખવામાં આવશે. નાણામંત્રી સીતારમણ 25 નવેમ્બરે આ વિધેયકને લોકસભામાં રજૂ કરી ચૂક્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં રક્ષા ખરીદ પરિષદની બેઠકમાં સેના માટે 22 હજાર 800 કરોડની કિંમતના સૈન્ય સાધન સામાન ખરીદવાની મંજૂરી આપી છે. ચિટફંડ સંશોધક વિધેયક 2019ને સંસદની મંજૂરી મળી ગઈ છે. આ વિધેયક રાજયસભામાંથી પસાર થઈ ગયુ છે. દિલ્હીમાં બિનઅધિકૃત કોલોનીઓ સાથે સંકળાયેલ વિધેયક લોકસભામાં પાસ થઈ ગયુ છે. કેન્દ્રીય મંત્રી મંડળે 20 નવેમ્બરે દિલ્હીની અનધિકૃત કોલોનીઓમાં રહેતા લોકોને માલિકી હક આપવાના વિધેયકને મંજૂરી મળી ગઈ હતી. આ યોજનાનું નામ ઉદય યોજના હતુ. કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીએ 1800 ઉપરની અનઅધિકૃત કોલોનીઓને નિયમિત કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા વર્ષોથી આ કોલોનીઓને અધિકૃત બનાવવાની માંગ ઊઠી હતી.
