લોકસભામાં નાણામંત્રીએ અનિયમિત નાણાકિય ભંડોળ વિધેયક રજૂ કર્યુ
Live TV
-
લોકસભામાં ગઈકાલે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે અનિયમિત નાણાકિય ભંડોળ વિધેયક રજૂ કર્યુ હતુ. આ વિધેયકનો ઉદેશ્ય દેશમાં ગેરમાર્ગે અને બિનકાયદાકીય રીતે લોકો પાસેથી નાણા ઉધરાવામાં આવતી યોજનાઓ પર અકુંશ લગાવવાનો છે.
લોકસભામાં ગઈકાલે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે અનિયમિત નાણાકિય ભંડોળ વિધેયક રજૂ કર્યુ હતુ. આ વિધેયકનો ઉદેશ્ય દેશમાં ગેરમાર્ગે અને બિનકાયદાકીય રીતે લોકો પાસેથી નાણા ઉધરાવામાં આવતી યોજનાઓ પર અકુંશ લગાવવાનો છે. લોકસભામાં સમાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહેલોતે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણની સંબંધિત બિલ રજૂ કર્યુ હતું. આ બીલમાં ટ્રાન્સજેન્ડર લોકોના સમાજિક, ન્યાયિક, શૈક્ષણિક વિકાસના પ્રાવધાન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જીતેન્દ્રસિંહએ માહિતી અધિકાર સંશોધન બિલ 2019 રજૂ કર્યુ હતું. આ સાથે લોકસભામાં માનવ અધિકાર સંરક્ષણ સુધારણા વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. જેને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ મામલે સરકારે કહ્યુ કે રાજ્ય અને કેન્દ્રના માનવ અધિકારા આયોગોને સક્ષમ અને વધુ મજબૂત કરવા તરફનું આ એક ડગલુ છે.
