લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની
Live TV
-
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે પ્રચાર કાર્યવાહી વેગીલી બની ચૂકી છે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના કોડર-મા ખાતે રેલીને સંબોધતાં વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચોકીદારે બધા કૌભાંડો બંધ કરી દીધા છે. જ્યારે પશ્ચિમ બંગાળના શ્રીરામપુર માં સભાને સંબોધિત કરતા તેમણે વિપક્ષના એક માત્ર એજેન્ડા મોદીને હટાવવાના પ્રયાસો વિશે વાત કરી હતી. તો બૈરક પુરમાં તેમણે તૃણમુલ કોંગ્રેસ અને મમતા બેનર્જી પર વાક-પ્રહાર કરતા કહ્યુ કે 23 મે બાદ ટી.એમ.સી.ના 40 ધારાસભ્યો ભાગી જશે.
