વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની મુલાકાતે, બિમ્સટેક સમિટમાં ભાગ લેવા પહોંચ્યા કાઠમંડુ
Live TV
-
પ્રધાનમંત્રી આજે ચોથી બિમ્સ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હીથી કાઠમંડુ જવા રવાના થયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ શિખર સંમેલન બંગાળની ખાડી ક્ષેત્રોમાં શાંતિપૂર્ણ અને સમૃધ્ધ બનાવવાની દિશા નક્કી કરશે. તેનાથી બિમ્સ્ટેક હેઠળ અત્યાર સુધી થયેલી પ્રગતિ વધુ સુદૃઢ બનશે. આ બેઠકમાં બિમ્સ્ટેક દેશોના તમામ નેતાઓ ક્ષેત્રીય સહયોગ અને વેપાર સંબંધ વધારવા તથા શાંતિપૂર્ણ અને સમૃધ્ધ ક્ષેત્ર માટે સામુહિક પ્રયાસો ઉપર વાતચીત થશે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, શિખર સંમેલનમાં તેમની ભાગીદારી પડોશને ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા અને વિસ્તૃત દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે સંબંધ સુદૃઢ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
