વસતી ગણતરી 2021ના પડઘમ વાગવાનો શુભારંભ
Live TV
-
ગુજરાતમાં મે-જૂન 2020થી શરૂ થશે પ્રથમ તબક્કો
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી ૨૦૨૧એ ,૧૮૭૨થી સળંગ શૃંખલામાં ,૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે. ગજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જુન-૨૦૨૦થી શરૂ થશે ,અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે., રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. ,જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવારવસતી ગણતરી માટે ,મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં હાથ ધરાનાર વસતી ગણતરી સંદર્ભે ,પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું તા. ૧૮ થી ૨૩ નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે.
