વાતચીત પ્રસ્તાવ પર ભારતે પાક.ની કરી ઉગ્ર ટીકા,કહ્યું પાકના નિવેદનમાં નથી ગંભીરતા
Live TV
-
શાંતિ અંગે ખાલી વાતચીત કરવા પ્રયત્નશીલ પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની આવી કોશીશ ઉપર કડક પ્રતિક્રિયા આપતા પ્રશ્નો પૂછ્યા છે.
તેમણે પૂછ્યું કે જો પાકિસ્તાન વાતચીત માટે ગંભીર છે તો આતંકીઓનો સાથ કેમ આપે છે ? વિદેશમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નિવેદનથી વાત બનશે નહીં.
પાકિસ્તાને તે માટે જ્યારે પાકિસ્તાન સરકાર વાતચીતની વાત કરી રહી છે તો ઇમરાન સરકારના મંત્રી પ્રતિબંધીત આતંકવાદી સાથે મેચમાં કેમ જોવા મળે છે ? અને પાકિસ્તાન વાતચીત ઇચ્છે છે તો તે પઠાણકોટ અને મુંબઇ હુમલો કરનાર સામે પગલા કેમ નથી ભરતું ? હંમેશા આ મામલાને કેમ ટાળવામાં આવે છે ?
