વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ દ્વારા આપી માહિતી
Live TV
-
મસુદને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ભારતને આંતર રાષ્ટ્રીય સમુદાય તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. ટ્વીટ સંદેશમાં શ્રીમતી સ્વરાજે કહ્યું છે કે આ વર્ષે અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને પ્રસ્તાવ રાખ્યો હતો અને તેને સુરક્ષા પરિષદમાં 15માંથી 14 દેશોએ સમર્થન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇટાલી અને જાપાને પણ પ્રસ્તાવ કર્યો છે જે આ વર્ષે સુરક્ષા પરિષદના સભ્યો નથી. શ્રીમતી સ્વરાજે કહ્યું છે કે અઝહરને આંતર રાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કરવાનો પ્રસ્તાવ ચોથી વાર મુકવામાં આવ્યો હતો.
