વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નવી દિલ્હીમાં દસમી દિલ્લી ડાયલોગ સંમેલનની અધ્યક્ષતા કરશે
Live TV
-
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નવી દિલ્હીમાં દસમી દિલ્લી ડાયલોગ સંમેલનની અધ્યક્ષતા કરશે. આ બે દિવસીય સંમેલનનો મુખ્ય વિષય ભારત - આશિયાન વચ્ચે સમુદ્રી સહયોગ મજબૂત બનાવવાનો છે. દિલ્હી સંવાદ ભારત અને આશિયાન વચ્ચે રાજકીય સુરક્ષા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ભાગીદારી, ઉપર ચર્ચા કરવાનું મુખ્ય વાર્ષિક સંમેલન છે. તેમાં અધિકાર અને ગેર અધિકારી પક્ષ એક સાથે મળીને કામ કરે છે. જાન્યુઆરી 2018માં દિલ્હીમાં આયોજીત ભારત - આશીયાન મૈત્રી શિખર સંમેલન બાદ એ પ્રથમ મુખ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ભારત અને આશિયાન વચ્ચે સભ્ય દેશોના રાજકીય, નીતી નિર્માતા, વરિષ્ઠ અધિકારી, મુખ્ય ઉદ્યોગપતિ, વિચારક અને શિક્ષણવિદ ચર્ચામાં ભાગ લેશે. પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓને આ સંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
