વિદેશી વેક્સિનને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા દિશા-નિર્દેશ
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણ સામેની જંગ યથાવત છે, ત્યારે વિદેશી રસી માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દિશાનિર્દેશ જાહેર કર્યા છે.. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જે કોઇ વિદેશી કંપની ઇચ્છે છે કે તેની રસી નો ઉપયોગ ભારતમાં રસીકરણ માટે થાય તેણે આપાતકાલીન મંજૂરી માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇજેશનને અરજી કરવાની રહેશે.
દેશમાં કોરોના સંક્રમણ સામેની જંગ યથાવત છે, ત્યારે વિદેશી રસી માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દિશાનિર્દેશ જાહેર કર્યા છે.. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જે કોઇ વિદેશી કંપની ઇચ્છે છે કે તેની રસી નો ઉપયોગ ભારતમાં રસીકરણ માટે થાય તેણે આપાતકાલીન મંજૂરી માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇજેશનને અરજી કરવાની રહેશે.. અરજી મળ્યાના 3 દિવસમાં ભારતીય ઔષધ મહાનિયંત્રક તેના પર નિર્ણય લેશે.. આ માટે પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે.. પ્રક્રિયા અંતર્ગત DCGIની મંજૂરી મળ્યા બાદ 30 દિવસમાં વિઝિંગ ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવશે..દરમ્યાન કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે દિલ્હીના એઇમ્સના ટ્રોમા સેંટરની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમની સાથે એઇમ્સના નિર્દેશક ડો.રણદિપ ગુલેરિયા અને એઇમ્સના અન્ય ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો.હર્ષવર્ધને એઇમ્સના ડોક્ટર સાથે પણ વાતચીત કરી હતી.. અને હાલની પરિસ્થિતિ થી પણ ચર્ચા કરી હતી.. સાથે જ ઓક્સિજનની ઉપલબ્ધતા અને કોરોના સંક્રમણ વિશે પણ ચર્ચા કરી હતી.
