વિપક્ષના હોબાળા બાદ બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
Live TV
-
સંસદના બંને ગૃહોમાં વિપક્ષોએ કાર્યવાહી શરૂ થતાંની સાથે જ દિલ્હી હિંસાની ચર્ચા કરવાની માંગણી સાથે સંસદમાં હંગામો મચાવ્યો હતો.
લોકસભામાં કોરોના વાઇરસની ચર્ચા કરવાના પ્રયાસ હાથ ધરાયા હતાં પરંતુ વિપક્ષે દિલ્હી હિંસાની ચર્ચાની માંગણી ચાલુ રાખી હતી જેને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવી પડી હતી.
જો કે લોકસભામાં ડાયરેક્ટ ટેક્સ 'વિવાદથી વિશ્વાસ બિલ 2020' પસાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે સરકાર કોરોના વાઇરસની સ્થિતિની ચર્ચા કરવા માટે સરકાર તૈયાર હતી પરંતુ વિપક્ષોએ તેમ થવા દીધું ન હતું. જ્યારે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે સરકાર દિલ્હી હિંસા ઉપર હોળી બાદ અગિયાર માર્ચે દિલ્હી હિંસા મામલે ચર્ચા કરવા તૈયાર છે.
