શાસનવ્યવસ્થાને જન આધારિત બનાવવા ઉપરાષ્ટ્રપતિએ કરી અપીલ
Live TV
-
રાષ્ટ્રવાદનો અર્થ બધાને સાથે લઈને ચાલવાનો છે-ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નવી દિલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાઓને પ્રભાવિત રીતે લાગુ કરવાની સરકારી અધિકારીઓની જવાબદારી છે, જેથી ગરીબ લોકોને લાભ મળી રહે. રાષ્ટ્રવાદનો અર્થ બધાને સાથે લઈને ચાલવાનો છે. આ કાર્યક્રમનું આયોજન સમાજમાં શિક્ષકોના યોગદાનને સમ્માનિત કરવા માટે કલ્યાણ શિક્ષા સમિતિ દ્વારા સંકલ્પ યોજના હેઠળ કરવામાં આવ્યું હતું.
