શાહીનબાગમાં ચાલુ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજથી ફરીથી થશે શરૂ
Live TV
-
શાહીનબાગમાં ચાલુ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજથી ફરીથી થશે શરૂ. કોર્ટે 10 ફેબ્રુઆરીએ પોતાના નિર્દેશમાં જણાવ્યું હતું કે, પ્રદર્શનો માટે રસ્તા રોકવા યોગ્ય નથી. વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત જગ્યા પર જ થવા જોઈએ પ્રદર્શન.
સુપ્રીમ કોર્ટ શાહિનબાગમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પ્રદર્શન પર આજે ફરી સુનાવણી કરશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ આપતાં જણાવ્યું હતું કે, પ્રદર્શન માટે રસ્તાઓને જામ ન કરી શકાય. કોર્ટે જણાવ્યું કે, પ્રદર્શન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે ત્યારે પ્રદર્શન માટે જગ્યા સુનિશ્ચિત કરવી જોઈએ. પરંતુ આ માટે રસ્તો રોકી શકાય નહીં.
