શિક્ષક દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 47 શિક્ષકોને શિક્ષણમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને નવાજશે
Live TV
-
કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કપરા સમયમાં ઓનલાઇન શિક્ષણ આપનારા શિક્ષકોને ગણાવ્યાં વોરિયર
દેશ આજે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે. પ્રખર કેળવણીકાર અને પુર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નના સન્માનમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ તેની ઉજવણી થાય છે. શિક્ષક દિવસે દેશભરના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવે છે. આ વખતે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશભરના 47 ઉત્કૃષ્ઠ શિક્ષકોને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવશે. શિક્ષક દિવસ નિમીત્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ ઉપલબ્ધ કરાવીને વોરિયરની ભૂમિકા નિભાવી છે.
