શિક્ષણનું લક્ષ્ય વ્યક્તિનો સંતુલીત વિકાસ હોવો જરૂરી - PM
Live TV
-
નવી દિલ્હીમાં પુનરૂત્થાન ઉપર શૈક્ષણિક લીડરશીપ પરિષદનું ઉદ્ઘાટન
નવી દિલ્હીમાં પુનરૂત્થાન ઉપર શૈક્ષણિક લીડરશીપ પરિષદનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અહીંયા આપણે એકેડેમીક લીડરશીપ ઓન એજ્યુકેશન ફોર રીસર્જન અંગે ચર્ચા કરવા એકત્રીત થયા છીએ. ભવિષ્યના ભારત માટે આવા વિષયોનું મંથન સમયની માંગ છે. સ્વામી વિવેકાનંદે શિક્ષણ અંગે મહત્વપૂર્ણ વાત દાયકા પહેલા કરી હતી કે સર્વસંપન્ન શિક્ષણ જોઈએ જે આપણને મનુષ્ય બનાવી શકે, જેમાં જીવન નિર્માણ, માનવતા, ચરિત્રગઠન ઉપરાંત છ નવ ઉન્મેક્ષ ઉમેરૂ છું. આ ચાર પહેલું લઈ ઉચ્ચ શિક્ષણ અંગે વિચારીએ તો સાચી શિક્ષણ દિશા દેખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર કહેતા કે મનુષ્યનો જન્મ કોઈ લક્ષ પ્રાપ્ત કરવા થાય છે, તેમાં શિક્ષણનું અનેરૂ મહત્વ છે.
