શિયાળુ સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદા પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે
Live TV
-
29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે એટલે કે સોમવારના રોજ સરકાર ગૃહમાં ત્રણેય કૃષિ કાયદાઓને પાછું ખેંચવા માટે બિલ રજૂ કરી શકે છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ રજૂ કરશે. 19 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની મહોર બાદ કાયદાની વાપસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસે તેમના રાજ્યસભાના બધા જ સભ્યોને ગૃહમાં ઉપસ્થિત રહેવા વ્હીપ જારી કર્યો છે.
