શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે
Live TV
-
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. તે મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર આરૂઢ થનારા શિવસેનાના ત્રીજા નેતા બનશે. ઉદ્ધવ ઠાકરને 3 ડિસેમ્બર સુધીમાં બહુમતી સબિત કરવી પડશે. કેટલાક અન્ય નેતાઓ પણ આજે મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડીની બેઠક બાદ કોંગ્રેસ નેતા પ્રફુલ પટેલે જણાવ્યું કે, ત્રણેય પક્ષોએ સહિયારી રીતે એ નિર્ણય કર્યો છે કે, મહારાષ્ટ્રમાં એક જ ઉપ મુખ્યમંત્રી હશે. જે એનસીપીનો હશે.કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળશે. ઉદ્ધવ ઠાકરે ઠાકરેપરિવારમાંથી મુખ્યમંત્રી બનનારા પ્રથમ સભ્ય હશે.
