શ્રમયોગી માનધન યોજના ભારત માતાના લલાટે પરસેવાના તિલક સમાન: PM
Live TV
-
શ્રમયોગી માનધન યોજના ભારતના મજૂરોના પરસેવાથી ભારત માતાને તિલક કરવા સમાન -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા મનમાં જે પીડા હતી તેમાંથી આ યોજના ઉદભવી છે-દેશના 42 કરોડ અસંગઠિત ક્ષેત્રોના કામદારોને આ યોજના સમર્પિત
પ્રધાનમંત્રીએ શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતાં ગુજરાત રાજ્યની ભૂમિકાની પ્રસંશા કરી હતી. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ શ્રમનો મહિમા કરતા આ યોજનાને ભારત માતાના લલાટ પર શ્રમિકના પરસેવાનો તિલક ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શ્રમિકોના કલ્યાણ માટે સરકાર તેમની સાથે ઉભી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રોના કામદારો અને મજુરોની પીડાનો મને અનુભવ છે. અને એટલે જ આ પીડામાંથી યોજનાનો ઉદ્દભવ થયો છે.
