શ્રીનગરમાં વિરોધ પ્રદર્શનના સમાચારનું કેન્દ્ર સરકારે કર્યુ ખંડન
Live TV
-
ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે શ્રીનગરમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકોએ ભાગ લીધો હોવાના રોઈટર્સ અને ડોનના સમાચાર સંપૂર્ણ રીતે ખોટા અને પાયાવિહોણા.
કેન્દ્ર સરકારે શ્રીનગરમાં વિરોધ પ્રદર્શનના સમાચારનું ખંડન કર્યુ છે. ગૃહ મંત્રાલય આ પ્રકારના સમાચારને પાયાવિહોણા ગણાવ્યાં છે. ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે રોઈટર્સ અને ડોનમાં સમાચાર પ્રમાણે શ્રીનગરમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં 10 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ સંપૂર્ણ રીતે ખોટી અને પાયાવિહોણા સમાચાર છે. શ્રી નગર અને બારામુલામાં નાના નાના અને સામાન્ય પ્રદર્શન થયા હતા. જેમાં 20 થી વધુ લોકો પણ સમલીત થયા ન હતા. આ સાથે કાશ્મીર પોલીસે ઘાટીમાં પોલીસ ફાયરીંગના સમાચારનું પણ ખંડન કર્યું છે.આજીપી એસપી પાણીએ જણાવ્યું કે, અમુક આંતરરાષ્ટ્રીય મીડિયામાં ગોળીબારના સમાચાર છે પણ આવી કોઈ ઘટના બની જ નથી. ધાટીમાં એક સપ્તાહથી શાંતિપૂર્ણ વાતવરણ છે.
