શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ વડાપ્રધાન સાથે કરી મુલાકાત
Live TV
-
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો દ્વારા બેઠક યોજવામાં આવી હતી.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો દ્વારા બેઠક યોજવામાં આવી હતી.. જેમાં રામ જન્મભૂમિ ન્યાસ મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ગુરુ પાંડુરંગ અઠાવલેના શિષ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરિ કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મંદિર નિર્માણ સમિતિના ચેરમેનની જવાબદારી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રધાનસચિવ નૃપેન્દ્ર મિશ્રને સોંપવામાં આવી છે. 15 દિવસ પછી અયોધ્યામાં થનારી બેઠકમાં નિર્માણ સમિતિ તેમનો રિપોર્ટ રજૂકરશે અને ત્યારપછી મંદિર નિર્માણની તારીખ વિશે નિર્ણય લેવામાં આવશે.
