Skip to main content
Settings Settings for Dark

શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશ કર્યો ટ્વિટ

Live TV

X
  • મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશ ટ્વીટ કર્યો છે.

    તેમણે લખ્યું છે કે; 'અયોધ્યા ધામમાં લાખો ભારતીયો દ્વારા આરાધિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. શ્રીરામલલાનો અભિષેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને તમામ આદરણીય સંતો અને ધાર્મિક નેતાઓની હાજરીમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે; "મન પ્રસન્ન અને રોમાંચિત છે. હજારો કારસેવકો અને રામ ભક્તોની રાહ આજે પૂર્ણ થઈ છે. ભગવાન શ્રીરામના આ મંદિર માટે સદીઓથી સંઘર્ષ કરી રહેલા તમામ કાર સેવકો અને જેઓએ બલિદાન આપ્યા છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું."

    નવા ભારતના નિર્માણમાં સાંસ્કૃતિક પુનરુજ્જીવન માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરનાર પ્રધાનમંત્રી મોદીનો ખૂબ ખૂબ આભાર! અમે તમામ દેશવાસીઓ વતી તેમનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply