સંઘર્ષ વિરામની સમાપ્તિ બાદ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર શરૂ થયું
Live TV
-
સુરક્ષાદળોએ જૈસે મોહંમદના ત્રણ આતંકીઓને ઠાર માર્યા, સીઆરપીએફના એક જવાન જખ્મી થયો
જમ્મુ કાશ્મીરમાં સંઘર્ષ વિરામની સમાપ્તિ બાદ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર શરૂ થયું છે. મંગળવારે પુલવામાં જિલ્લાના ત્રાલમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલ અથડામણમાં સુરક્ષાદળોએ કરી જૈસે મોહંમદના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં સીઆરપીએફના એક જવાન જખ્મી થયો છે. સેનાએ ત્રણેય આતંકીના શબને એકત્રિત કર્યા છે. સુરક્ષાદળ ટીમનું તપાસ અભિયાન ચાલુ છે.
