સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ADMM-Plus મીટમાં આતંકવાદ પર સાધ્યું નિશાન
Live TV
-
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમના રાજનૈતિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે આતંકવાદનો સહારો લેતા દેશો પર નિશાન સાધ્યું હતું. બેંગકોકમાં છટ્ઠી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક ADMM-Plus મીટને સંબોધિત કરતા રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદને પોષતા દેશા સામે વૈશ્વિક સ્તરે કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે આતંકવાદીઓને મળતી નાણાકીય સહાયના રસ્તા બંધ કરવા માટે જણાવ્યું હતું. તેમણે કોઇ દેશનું નામ લીધા વિના જ જણાવ્યું કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ એક પીડાદાયક કેન્સર છે, જે દરેક દેશની સુરક્ષા અને સલામતીને મોટું જોખમ ઉત્પન્ન કરતું કારણ છે. ADMM-Plus આસિયાન દેશો અને તેના આઠ વિચાર વિમર્શ ભાગીદારોનો એક મંચ છે જેમાં ભારત પણ સામેલ છે.
