સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ, સરકારના 22 પ્રસ્તાવમાંથી 21 પસાર થયા
Live TV
-
22 પ્રસ્તાવ રજૂ કરાયા હતા, જેમાંથી 21 પ્રસ્તાવ પસાર થયા છે. આ સાથે જ સત્ર સમાપ્ત થઇ ગયું છે.
સંસદ ના ,ચોમાસુ સત્ર નો, શુ્ક્રવારે અંતિમ દિવસ હતો. ચોમાસુ સત્રમાં કુલ મળીને 22 વિધેયક સરકારે રજૂ કર્યા હતા, જેમાંથી 21 વિધેયક પસાર થયા છે. આ સાથે જ સત્ર સમાપ્ત થઇ ગયું છે. સંસદ ની કાર્યવાહી શરૂ થતાં પહેલાં જ, રાફેલ ડિલ ને લઈ ,વિપક્ષે ,હંગામો મચાવ્યો હતો. રાજ્ય સભાના સત્રનું ,સમાપન ,સભાપતિ વેંકૈયા નાયડુએ, કરાવ્યું હતું, તેમજ તેમણે સામાજીક ન્યાય ને લગતા ખરડા પસાર થવા બદલ ,રાજીપો વ્યક્ત કર્યો હતો. લોક સભાના સત્રનું સમાપન કરતા ,અધ્યક્ષ સુમિત્રા મહાજને , આ સત્ર ને ,સૌથી વધુ ફળદાયી ગણાવ્યું હતું. સંસદના આ સત્રમાં અનેક મહત્ત્વપૂર્ણ બિલને ,પસાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને ,બંધારણિય દરજ્જો આપવા, સંલગ્ન વિધાન સંશોધક બિલ ,અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જન જાતિ અત્યાચાર નિવારણ સંશોધક 2018 સહિત ,અનેક મહત્વ ના બિલ ને ,આ સત્ર માં ,પસાર કરવા માં ,આવ્યું છે.
