સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી કરવામાં આવી રહી છે ઉજવણી
આજે સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભક્તો પણ ભગવાનની આરાધનામાં તરબોળ બન્યા છે. પરંતુ આ વખતે ખાસ છે પ્રભુ રામની જન્મભૂમી અયોધ્યા. અહિયાં લગભગ 4 હજારથી વધુ મંદિરોમાં રામ જન્મની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વરૂપ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું, અને ભગવાન શ્રી રામની મહા આરતી કરવામાં આવી હતી. આ દુર્લભ દર્શનનો લાહવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. અને આ અદ્દભુત નજારાને ભક્તોએ કેમેરામાં કેદ કર્યો હતો. વિજ્ઞાન અને આધ્યાત્મના આ સુલભ સમન્વયનો શાક્ષી આજે આખો દેશ બન્યો છે.