સરકારની સૂચના પ્રમાણે 10 જાન્યુઆરીથી CAA લાગુ
Live TV
-
નાગરિકતા સંશોધન કાયદો 2019 સમગ્ર દેશમાં થયો લાગૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ મામલે સૂચના જાહેર કરી દિધી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયની તરફથી જાહેર કરેલ સૂચના પ્રમાણે 10 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો 2019 લાગૂ થઇ ગયો છે. સંસદના શિયાળું સત્રમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ આ કાયદાને મંજૂરી આપી હતી. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014થી ભારત આવેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા ધાર્મિક ઉત્પીડન થતા છ અલ્પસંખ્યક દેશોના સમુદાયને નાગરિકતા આપવાની જોગવાઇ છે.
