સરકારી બેન્કોના જમા નાણાં સુરક્ષિત : પિયુષ ગોયલ
Live TV
-
નાણામંત્રીએ કહ્યું કે, સરકાર એનપીએનો સામનો કરવા સાર્વજનિક ક્ષેત્રોની બેન્કો માટે મદદકર્તારૂપે કાર્ય કરી રહી છે.
નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે, સરકારી બેન્કોના જમા નાણાંનો 100 ટકા સુરક્ષિત છે અને સરકાર તમામ 21 સરકારી બેન્કોના વ્યવહારીકતા નક્કી કરશે. ગોયલે મંગળવારે 13 સરકારી બેન્કોના વડાઓ સાથે મુલાકાત બાદ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બેન્ક ક્રેડિટ ઉપર બે સ્તરે વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે એસ. એચ. ફ્રી કન્સ્ટ્રક્શન કંપની ઉપર બનેલ પેનલ દ્વારા ઝડપી અહેવાલ અપાશે. નાણામંત્રીએ કહ્યું કે, સરકાર એનપીએનો સામનો કરવા સાર્વજનિક ક્ષેત્રોની બેન્કો માટે મદદકર્તારૂપે કાર્ય કરી રહી છે.
