સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે હવે 8 જાન્યુઆરીએ થશે બેઠક
Live TV
-
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા તબક્કાની બેઠક શરૂ થઈ છે.
બેઠક પહેલા કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આશા વ્યક્ત કરી છે કે, આજની બેઠકમાં સકારાત્મક સમાધાન નીકળશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, સરકાર બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ખેડૂતો સંગઠનો સાથેની બેઠક પહેલા કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આશા વ્યક્ત કરી છે કે, આજની બેઠકમાં કોઈ સકારાત્મક પરિણામ અવશ્ય નીકળશે. તેમણે કહ્યું કે, સરકાર તમામ મુદ્દે ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરશે.
વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે પ્રતિબદ્ધ છે અને બંને પક્ષોએ સ્વીકાર્ય પરિણામ લાવવા માટેના પગલાં લેવા જોઈએ. તેમણે કાયદા અંગે જણાવતા કહ્યું કે, લધુત્તમ સમર્થન મૂલ્ય અને યાર્ડની વ્યવસ્થા પહેલાની જેમ જ રહેશે. લધુત્તમ ભાવ સંબંધિત કાયદો લાવવા માટે અને કૃષિ ઉપજ માટે બજાર ભાવની ખેડૂતોની માંગણી માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
