સરકાર સંસદમાં દિલ્લી હિંસાને લઈને હોળી પછી ચર્ચા માટે તૈયાર
Live TV
-
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આશ્વાસન આપ્યું છે કે સરકાર હોળી પછી 11 માર્ચે સંસદમાં ઉત્તર પૂર્વી દિલ્લી હિંસા પર ચર્ચા માટે તૈયાર છે..તેમણે કહ્યું કે દિલ્લી અને દેશના અમુક ભાગમાં સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે...
નવી દિલ્લીમાં મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ક્યારેક ક્યારેક સંસદમાં ચર્ચાઓ વચ્ચે તણાવ ઉત્પન્ન થઈ શકે છે..કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે હોળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ દિલ્લી હિંસાના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..
