સરહદે પાકિસ્તાનની નાપાક હરકત યથાવત, અંધાધૂધ ફાયરિંગ કર્યુ
Live TV
-
ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરીએકવાર તેની નાપાક હરકતને અંજામ આપતા અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે.રમઝાન મહિનામાં એકબાજુ જમ્મુ કાશ્મીરમાં શાંતિનો માહોલ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારે સેનાને આતંક વિરોધી અભિયાન રોકવા માટે જણાવ્યું છે, જેના સકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યાં છે. જો કે બીજી તરફ પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને નાગરિકો પર જીવલેણ હુમલા કરી રહ્યું છે. ભારતીય સેનાએ જવાબી ફાયરિંગ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઘટનાના પગલે ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, 'અમે પહેલી ગોળી નહીં ચલાવીએ પરંતુ ગોળી ચાલ્યા બાદ તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
