સાવચેતીના ભાગ રૂપે કરતારપુર સાહિબ કોરિડોર આજથી થશે બંધ
Live TV
-
ભારત સરકારે કહ્યું છે કે કોરોના વાયરસના ફેલાવાને કારણે રવિવારે મધ્યરાત્રિથી પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારની યાત્રા અને તેનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે.
ભારતમાં કાતિલ કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરાના વાયરસના પગલે આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કૉરિડોર બંધ કરવામાં આવશે. પહેલીવાર કરતારપુર બંધ કરવામાં આવશે. બીએસએફએ જણાવ્યું કે, કોરોનાના કારણે રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓ કેન્સલ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.
