સિંગાપોરના મંત્રી થરમન સાથે PM મોદીની મુલાકાત
Live TV
-
સિંગાપોરના મંત્રી થરમન શનમુગરત્નમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ નવર્ષની શુભેચ્છા પાઠવી ભારત-સિંગાપોર દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી અને સિંગાપોરના મંત્રી થરમન શનમુગરત્નમે ભારત-સિંગાપોરના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પ્રાથમિક ઢાંચો, કૌશલ્ય વિકાસ, વ્યાપાર અને આર્થિક મુદ્દાઓ તેમજ ડિઝિટલ અર્થવ્યવસ્થા સહિત આર્થિક સહયોગ સંબંધી મુદ્દે ચર્ચા કરી હતી.
