સિક્કિમના નાથુલામાં થયેલ હિમસ્ખલનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાન યથાવત
Live TV
-
દુર્ઘટનામાં 7 લોકોના થયા મોત, 23 લોકોને બચાવી લેવાયા
પુર્વ સિક્કિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ ગંગટોક અને નાથુલા ઘાટને જોડતા જવાહરલાલ નહેરૂ રોડ પર હિમપ્રપાતની ઘટનાએ સાત લોકોનો ભોગ લીધો છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે 20 થી 30 પર્યટકો વાહનો સાથે બરફ નીચે દબાયેલા હોવાની આશંકા છે. વિવિધ એજન્સી અને સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પ્રતિ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
