સિનેમેટોગ્રાફ અધિનિયમમાં સંશોધન કરવા માટે કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા. મંત્રીમંડળે અનિયમિત જમા યોજના પર પ્રતિબંધ લગાવવા સંબંધિત વિધેયકને મંજૂરી આપી છે. જ્યારે ફિલ્મ પાઇરેસીથી નિપટવા માટે, સિનેમેટોગ્રાફ અધિનિયમમાં સંશોધન કરવા માટે, સિનેમેટોગ્રાફ સંશોધન વિધેયકને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા. મંત્રીમંડળે અનિયમિત જમા યોજના પર પ્રતિબંધ લગાવવા સંબંધિત વિધેયકને મંજૂરી આપી છે. જ્યારે ફિલ્મ પાઇરેસીથી નિપટવા માટે, સિનેમેટોગ્રાફ અધિનિયમમાં સંશોધન કરવા માટે, સિનેમેટોગ્રાફ સંશોધન વિધેયકને મંજૂરી આપી છે. સાથે CCEAએ પ્રસાર ભારતીની પ્રસારણ બુનિયાદી સ્તર અને નેટવર્ક વિકાસ યોજનાને પણ મંજૂરી આપી છે. CCEAએ પ્રસાર ભારતની નેટવર્ક વિકાસની યોજના માટે 2020 સુધી ત્રણ વર્ષની અવધિ માટે 1054.52 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. જેમાં પૂર્વોત્તર માટે દૂરદર્શનની અરુણ પ્રભા ચેનલ શરૂ કરવામાં આવશે. 206 સ્થાનો ઉપર FM રેડિયોનો વિસ્તાર થશે. ભારત - નેપાળ સરહદ અને જમ્મુ-કાશ્મીર સીમા પર છ એફએમ ટ્રાન્સમીટર 10 કિલોવોટના સ્થાપિત કરાશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગાયોના સંરક્ષણ અને વિકાસ અને તેમના સંતાનોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાની મંજૂરી આપી છે.
