સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ સંચાર મંત્રી દયાનિધિ મારનને રાહત નહીં
Live TV
-
પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી દયાનિધિ મારનને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ મામલામાં તેને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું કે, કોર્ટમાં કેસનો સામનો કરે.
પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી દયાનિધિ મારનને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ મામલામાં તેને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું કે, કોર્ટમાં કેસનો સામનો કરે. ખંડપીઠે મારનની અરજી રદ્દ કરતા કહ્યું કે, તે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરે અને કેસની સુનાવણી દરમિયાન તમામ આરોપોનો જવાબ આપી શકે છે. આ મામલો દયાનિધિ મારનના ભાઈ કલાનિધિ મારનના સન ટીવી નેટવર્કને લાભ પહોંચાડવા ચેન્નઇમાં સ્થાપિત કથિત ગેરકાયદે ટેલીફોન એક્સચેન્જ સંબંધિત છે.
