સુપ્રીમ કોર્ટમાં કોવિડ અંગેની સુનાવણી મંગળવાર સુધી ટળી
Live TV
-
સુપ્રીમ કોર્ટમાં કોવિડ અંગેની સુનાવણી મંગળવાર સુધી ટાળી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના જવાબ આપવા માટે મંગળવાર સુધીનો સમય મળ્યો છે. સીજેઆઇની બેન્ચે કેટલાક સિનિયર વકીલો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક સિનિયર વકીલોએ કહ્યું હતું કે, હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી જ હાલ યોગ્ય વિકલ્પ છે. જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર અમે પ્રતિબંધ નથી લગાવ્યો. તો સિનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં પોતાને એમીકસ ક્યુરી નિયુક્ત નહીં કરવાનો આગ્રહ કર્યો હતો, જેને કોર્ટે માન્ય રાખ્યો છે.
