સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈ ક્મલનાથ સરકાર પાસે માગ્યો જવાબ
Live TV
-
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ પાઠવી છે
સુપ્રીમ કોર્ટ આજે મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટને લઈ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી.મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ પાઠવી છે.અને મુખ્યમંત્રી કમલનાથ તથા સ્પીકર એન.પી.પ્રજાપતિ પાસેથી આવતીકાલે સવારે સાડા દશ વાગ્યા સુધીમાં જવાબ માગ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાની અરજીમાં તત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવાની માગણી કરી છે.આ તરફ રાજ્યપાલ લાલજી ટંડને બહૂમતિ સિદ્ધ કરવાના નિર્દેશ આપ્યા છતાં ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ એન.પી.પ્રજાપતિએ ગૃહની કાર્યવાહી 26મી માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી.જેની સામે ભાજપે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
