સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલે 6 ઓગસ્ટથી કેસની રોજ સુનાવણી કરશે
Live TV
-
અયોધ્યા ભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલી મધ્યસ્થતા પેનલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને અંતિમ રિપોર્ટ આપી દીધો હતો. આ વિશે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કહ્યું છે કે, મધ્યસ્થતા પેનલ નિષ્ફળ ગઈ છે. પરિણામે હવે 6 ઓગસ્ટથી આ કેસની રોજ ઓપનમાં સુનાવણી કરવામાં આવશે. કોર્ટે એક અરજીના આધારે 11 જુલાઈએ મધ્યસ્થતા પેનલ પાસેથી આ રિપોર્ટ માંગ્યો હતો. સોમવારે દરેક પક્ષો વચ્ચે દિલ્હીમાં આવેલા ઉત્તર પ્રદેશ સદનમાં આ વિશે છેલ્લી મીટિંગ કરવામાં આવી હતી. તો આ પહેલાં 18 જુલાઈએ મધ્યસ્થતા પેનલે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. જોકે હવે મધ્યસ્થતા પેનલ નિષ્ફળ જતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હવે આ કેસની સુનાવણી રોજે રોજ ઓપનમાં થશે.
