સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની આજે જયંતિ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે.
પુસ્તકનું વિમોચન
આજે સુશાસન દિવસ નિમિતે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇન પાર્લાયામેન્ટ- એ-કોમૈમોરેટિવ વાલ્યુમ પુસ્તકનું પ્રકાશન લોકસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં વાજપાયીના જીવન અને કાર્યોની જાણકારી સાથે લોકસભામાં કરેલા ભાષણોની છણાવટ પણ કરવામાં આવી છે.
96મી જયંતિ
આ પુસ્તકમાં અટલબિહારી વાજપાયીના સાર્વજનિક જીવન સંબંધિત કેટલાક ફોટો ઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત રત્ન અટલબિહારી વાજપાયીની 96મી જયંતિ ઉજવવા જઇ રહી છે. આ દિવસને સુશાસન દિન તરીકે પણ ઉજવવવામાં આવી રહ્યો છે.
