સૈમ પિત્રોડાના નિવેદન પર પીએમએ ટ્વીટ કરી વિપક્ષીદળોને પૂછ્યો સવાલ
Live TV
-
સૈમ પિત્રોડાના નિવેદન પર વિપક્ષીદળોને ઘેરતા પીએમ મોદીએ એક ટ્વીટના માધ્યમથી સવાલ પૂછ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ હંમેશા સુરક્ષાદળોનું અપમાન કેમ કરે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર પહેલાથી જ જામતું હતું કે, આ એક ન્યૂ ઈન્ડિયા છે, અમે આતંકીઓને તેની ભાષામાં જવાબ આપીએ છીએ.
સૈમ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને વિપક્ષી દળોને સવાલ પૂછ્યો છે. તેમણે કહ્યું કે, સુરક્ષાદળોનું વારંવાર અપમાન કેમ કરી રહી છે. હું જનતાને આહ્વાન કરૂ છું કે, વિપક્ષી નેતાઓના નિવેદન પર તેમને સવાલ પૂછે. કોંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વાસપાત્ર સલાહકાર અને માર્ગદર્શકે ભારતની સહસ્ત્ર સેનાનું અપમાન કરી પોતાના તરફથી પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસ સમારોહની શરૂઆત કરી દીધી છે.
કોંગ્રેસના વફાદાર દરબારીએ માની લીધું કે કોંગ્રેસ આતંકની શક્તિઓને જવાબ દેવા તૈયાર નહતી. સ્વીકાર કરે છે કે, રાષ્ટ્ર પહેલાથી જ જાણતું હતું કે, આ એક ન્યૂ ઈન્ડિયા છે, અમે આતંકીઓને તેની ભાષામાં જવાબ આપીશું. જેમાં તે સમજે છે અને જવાબ પણ વ્યાજની સાથે આપીશું.
