સૌનો ઉદ્દેશ્ય મોદીને હટાવવાનો છે, મારો આતંકવાદ હટાવવાનો છેઃ PM
Live TV
-
PM નરેન્દ્ર મોદીએ પટનામાં મહાસંકલ્પ રેલીને કરી સંબોધિત - પ્રધાનમંત્રીએ વિપક્ષ પર સાધ્યું નિશાન- કહ્યું સૌ ના ઉદ્દેશ્ય મોદીને હટાવવાનો છે- મારો ઉદ્દેશ્ય આતંકવાદ હટાવવાનો છે- કોંગ્રેસ અને તેમના સહયોગી ના નિવેદનોનો દુશ્મન ફાયદો ઉઠાવી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારની રાજધાની પટનાની મુલાકાતે હતા. પીએમ મોદીએ અહીં ગાંઘી મેદાનમાં એનડીએના સાથી પક્ષો JDU અને LJP સાથે રેલીને સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષ મોદીને હટાવવા માંગે છે. જ્યારે તેમનો ઉદેશ્ય આતંકવાદને હટાવવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે હાલની એનડીએ સરકારનો મંત્ર, વિકાસનો છે. જ્યારે વિપક્ષની ઈચ્છા સ્વાર્થની રાજનીતિ રમવાનો છે. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સેનાની કાર્યવાહી પર પણ પ્રશ્ન ઉઠાવી, વિપક્ષ દેશના દુશ્મનનોની ભાષા બોલે છે.
