J&K ના કૂપવાડામાં અથડામણ, 2 આતંકી ઠાર, CRPFના 3 જવાન શહીદ
Live TV
-
જમ્મુ કાશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડા વિસ્તારમાં , ગત ત્રણ દિવસથી ચાલતા સંઘર્ષમાં આજે સુરક્ષાકર્મીઓને સફળતા સાંપડી છે.
આજે સવારે સુરક્ષાકર્મીઓ દ્વારા અન્ય બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જો કે આ સંઘર્ષમાં પાંચ સુરક્ષાકર્મીઓ શહિદ થયાં છે. જેમાં ત્રણ CRPFના જવાનો અને બે જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો સામેલ છે. સુરક્ષાને ધ્યાને રાખતા તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે.
