સ્વાથ્યકર્મીઓ સાથે હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરવા આદેશ
Live TV
-
ગૃહ મંત્રાલયે રાજ્યોને જાહેર કર્યો નિર્દેશ, સ્વાસ્થ્યકર્મીઓ પર થતી હિંસા રોકવા માટે પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યુ
કોરોના વાઇરસ સામે લડનારા વોરિયર્સ સામેની કોઇપણ જાતની હિંસા અથવા તો અત્યાચાર સહન કરવામાં નહી આવે તેવી કેન્દ્ર સરકારે કોરોના વાઇરસના વોરિયર્સને સલામતી આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય કેબિનેટની મળેલી બેઠકમાં આ પણ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આ અંગેની માહિતી આપતાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આવો ગુનો બિનજામીનપાત્ર ગુનો બનશે અને આ વા હુમલાખોરો સામેની તપાસ એક મહિનામાં પૂર્ણ કરી દેવાશે તેમાં છ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ તેમજ એક લાખથી પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ પણ કરાઇ છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પણ કેન્દ્ર સરકારે ઓર્ડર આપ્યો છે.
