હવે કોવિડ સેન્ટરમાં દાખલ થવા દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ જરૂરી નહીં
Live TV
-
એટલે કે હવે શંકાસ્પદ દર્દી પણ કોવિડ સેન્ટરમાં દાખલ થઈ શકે છે. તેમને શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં દાખલ કરવામાં આવશે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે દર્દીઓને દાખલ કરવાની પોલિસીમાં ફેરફાર કર્યા છે. હવે કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે દર્દીએ કોરોના પોઝિટિવનો રિપોર્ટ દર્શાવવો જરૂરી નથી. એટલે કે હવે શંકાસ્પદ દર્દી પણ કોવિડ સેન્ટરમાં દાખલ થઈ શકે છે. તેમને શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં દાખલ કરવામાં આવશે.
મહત્વનું છે કે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને કોવિડ કેર સેન્ટર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અથવા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સસ્પેક્ટેડ વોર્ડમાં દાખલ કરવામાં આવશે. કોઈપણ દર્દીને સર્વિસ આપવાનો ઈનકાર નહીં કરી શકાય. તેમાં ઓક્સિજન અને જરૂરી દવાઓ પણ સામેલ છે. અન્ય શહેરના દર્દીઓને પણ આ સારવાર મળશે.
