હવે દેશમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચાલશે - પ્રકાશ જાવડેકર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે, ભારતને એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકથી મુક્તિ અપાવવા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. ત્યારબાદ જાવડેકરે બ્રાઝિલના સાઓપાવલોમાં આ બાબતે જાહેરાત કરી હતી. ભારતીય વાણીજ્ય દુતાવાસ દ્વારા સાઓપાવલોમાં આયોજિત સ્વતંત્રતા દિવસ કાર્યક્રમને સંબોધન કરતાં પર્યાવરણ મંત્રી જાવડેકરે કહ્યું કે, પ્રધાનમંત્રીના આહવાન અનુસાર તમામ હિતધારકોને સામેલ કરી આ દિશામાં મોટાપાયે સાર્વજનીક અભિયાન શરૂ કરવામાં આવશે
