હવે ભારતની સરહદ તરફ જોવાની કોઈની હિંમત નથીઃ PM મોદી
Live TV
-
હવે ભારતની સરહદ તરફ જોવાની કોઈની હિંમત નથીઃ PM મોદી
લાતુરમાં એનડીએ ગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં જનસભા યોજવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું, ભ્રષ્ટાચારીઓ અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. કોંગ્રેસના શાસનમાં સમાચાર પત્રોમાં ભ્રષ્ટાચાર અને આતંકવાદના સમાચાર આવતા હતાં, જ્યારે હવે ભ્રષ્ટાચારીઓની ધરપકડના સમાચારો આવે છે.
પીએમ મોદીએ કહ્યું 2014 પહેલાંના દિવસો યાદ કરો. ઘણી જગ્યાએ અજાણી વસ્તુઓને સ્પર્શ ન કરવાનું લખવામાં આવ્યું હતું, કારણ કે બધે બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં હતા. ઘરોમાં ઘૂસીને હત્યા કરવાની શક્તિ ભારતમાં છે, તેથી કોઈની હિંમત ભારતીય સરહદ તરફ જોવાની નથી.
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જેમણે આ દેશને લૂંટ્યો છે તેમણે દેશને પરત કરવો પડશે. જે લોકો ભારતને ટુકડાઓમાં જુએ છે તે લોકો દેશને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસે દેશને લૂંટવાનો મોટો પ્લાન બનાવ્યો છે. કોંગ્રેસ તમારી સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના પરિવારોએ પોતાના બાળકો માટે દેશમાં કેટલુય લૂંટ્યું છે.