હાર હોય કે જીત અહંકાર કરવો યોગ્ય નથી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિપક્ષ પ્રત્યે ફરીથી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં વિપક્ષને કહ્યું હતું કે હાર હોય કે જીત અહંકાર કરવો યોગ્ય નથી. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી હતી.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિપક્ષ પ્રત્યે ફરીથી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં વિપક્ષને કહ્યું હતું કે હાર હોય કે જીત અહંકાર કરવો યોગ્ય નથી. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી હતી. તેમજ જનાદેશ પર સવાલ ઉઠાવનારાએ હારનું ઠીકરું ઇવીએમ પર ફોડ્યું છે તેમ કહીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ એમ ઠસાવવા માગે છે કે કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો. પરંતુ મતદારોએ પોતાની સમજ શક્તિ દ્વારા અમારી સરકારને ફરી એક વાર સેવાની તક આપી છે.આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઝારખંડમાં થયેલ મોબ લિન્ચીંગની ઘટના અને બિહારમાં ઈન્સેફેલાઈટીસથી થયેલ બાળકોના મૃત્યુ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી
