હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી 7 લોકોના મોત
Live TV
-
હિમાચલ પ્રદેશ તથા કેરળમાં સતત ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનને પગલે એક બાળક સહિત સાત લોકોનાં મોત નીપજ્યા છે તો કુલ્લુ, શિમલા, કાંગડા, મનાલી સહિતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે મંડી અને પઠાનકોટને જોડાતા નેશનલ હાઇવે નંબર 20 તથા ચંદીગઢ મનાલીને જોડતા નેશનલ હાઇવે નંબર 21ને બંધ કરાતા હજારો વાહનો અને મુસાફરો અટવાઈ પડ્યો છે તો બીજી તરફ કેરળમાં ભારે વરસાદને પગલે 40 નદીઓ તથા જળાશયો ભયજનક સપાટીએ છે. વરસાદને કારણે કેરળમાં અત્યાર સુધી 37 લોકોના મોત નીપજ્યા છે તેમજ 54000 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્યમાં જોડાયેલી છે.
