હું પ્રધાનમંત્રી તરીકે નહીં પ્રધાનસેવક તરીકે સુંદરગઢમાં આવ્યો છુંઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. બીજી તરફ ઉત્તરાખંડના હરિદ્વારમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
ઓડિશાના સુંદરગઢમાં પ્રધાનમંત્રીએ ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, તેઓ એક પ્રધાનમંત્રી તરીકે નહીં બલ્કે પ્રધાનસેવક તરીકે સુંદરગઢમાં આવ્યા છે. તેમણે ભાજપના 40મા સ્થાપના દિવસ પર કહ્યું હતું કે, ભાજપની શરૂઆત લોકોની ઓશાઓ અને આકાંક્ષાઓના આધારે થઈ છે.
ઉપરાંત તેમણે કોંગ્રેસ અને બીજેડી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, બંને પક્ષોએ રાજનીતિ માટે ગરીબોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ દેશમાં ઘણી જગ્યાએ રાજકીય વિરોધનો સામનો કર્યો છે, તેમ છતાં દેશમાં ભાજપની સરકાર છે.
