1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર અમલી બનશે ફાસ્ટેગ લેન
Live TV
-
કેન્દ્રિય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની જાહેરાત
પહેલી ડિસેમ્બર 2019 થી તમામ રાજમાર્ગો ઉપર ,ટોલ પ્લાઝાની બધી લેન ફાસ્ટેગ લેન સાથે જોડાશે. કેન્દ્રિય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં કહયું હતું કે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણ 1 ડિસેમ્બર સુધી ગ્રાહકોને ફ્રીમાં ફાસ્ટેગ ઉપલબ્ધ કરાવશે. પરિવહનમંત્રી નિતિન ગડકરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર થી ટોલપ્લાઝામાં ફાસ્ટેગ અનિવાર્ય કરાયું છે.હાલમાં ફાસ્ટેગ ફ્રીમાં લગાવાયું છે ફાસ્ટેગ સિક્યોરિટી કિંમત 150 રૂપિયા છે પરંતુ 1 ડિસેમ્બર સુધી તેને ફ્રીમાં અપાશે. 1 ડિસેમ્બર બાદ ટેગ વગરનાં વાહનને ફાસ્ટેગમાંથી પસાર થવા બદલ ડબલ ફી આપવી પડશે.
