100 જેટલી હોસ્પિટલોમાં ‘પીએમ કેર ફંડ’ અંતર્ગત શરૂ કરાશે ઓક્સિજન પ્લાન્ટ
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યોમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ કોરોનાની સ્થિતિ અને સારવાર અંગે કેન્દ્રિય ગૃહ સચિવે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવે ટેસ્ટ, ટ્રેક, ટ્રિટ અને વેક્સિનેટની રણનીતિ પર ભાર આપ્યો હતો.
દેશમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યોમાં તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ કોરોનાની સ્થિતિ અને સારવાર અંગે કેન્દ્રિય ગૃહ સચિવે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવે ટેસ્ટ, ટ્રેક, ટ્રિટ અને વેક્સિનેટની રણનીતિ પર ભાર આપ્યો હતો. સાથે જ ઓક્સિજન બેડ અને ICU બેડ વધારવાની પણ રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી હતી. દેશમાં કોરોના સંક્રમણનો આંક 2 લાખને પાર થયો છે.. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 2 લાખ 739 નવા કેસ નોંધાયા છે., જ્યારે 1,038 લોકોએ જીવ ગુમાવ્યો છે.. તો સામે 93 હજાર 528 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે...કોરોનાની તપાસનો વ્યાપ વધારીને સંક્રમણ રોકવાનો પ્રયત્ન ચાલુ છે. તેને જોતા ધણા રાજ્યોમાં વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા છે. કેન્દ્ર સરકારે રેમેડિસીવીર દવાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે PM CARE FUND અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં તેના પોતાના ઓક્સિજન પ્લાંટ હશે.. તેમજ કેંદ્ર સરકારે 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.
